"કાળુભાના કુંવર"  રાસડો

"કાળુભાના કુંવર" રાસડો

"કાળુભાના કુંવર" નામનો આ રાસડો સદાય અમર રહેશે.


એવી સુની રે ડેલી ને સુના ડાયરા..
સુના છે કાંઇ રામવાળાના રાજ રે...
કાળુભાના કુંવર ! આવા રે બા'રવટાં નો"તાં ખેડવા.

પરથમ ભાંગી પોતાની વાવડી,
પછી ભાંગ્યા ગાયકવાડી ગામ રે
કાળુભાના કુંવર........

હાથમાં મીંઢોળ વાળાને શોભતો,
મોતને માંડવ બાંધવા તોરણ જાય રે....
કાળુભાના કુંવર.......

પાટું રે મારી પટારો તોડ્યો,
વાગી છે કાંઇ ડાબા પગે ચુંક રે...
કાળુભાના કુંવર.......

પગ રે પાક્યો ને પીડા ઉપડી,
લાગી છે કાંઇ અંગેઅંગમાં લાય રે
કાળુભાના કુંવર........

બાબી સરકારની ફોજો ઉપડી,
બોરીયે ગાળે ખેલાણાં ઘમસાણ રે
કાળુભાના કુંવર.......

ખુંટલ મેરુએ તને છેતર્યો,
ભાંગી મારા મામેરાંની છાબ રે...
કાળુભાના કુંવર.......

એવી સુની રે ડેલી ને સુનાં ડાયરાં,
સુના છે કાંઇ રામવાળાના રાજ રે.......કાળુભાના કુંવર ! આવા રે બા'રવટાં નો'તાં ખેડવા.

સદુહા છંદ

ધારી-અમરેલી ધ્રુજતા,ખાંભા થરથર થાય,

દરવાજા દેવાય,ઇ તો રોંઢે દી' એ રામડા !



વાટકી જેવડી વાવડી,રાવણ જેવો રામ,

ગાયકવાડી ગામ રફલે દબેડે રામડો !



ગરવો ગઢ ગિરનાર,ખેંગારનો શાપિત ખરો,

સંઘર્યો નહિ સરદાર,(નકર) રમત દેખાડત રામડો.



અંગ્રેજ અને જર્મન બે આથડે બળીયા જોધ્ધા બે,

એવું ત્રીજું તે ગીરમાં રણ જગવ્યું રામડા

"हनुमान जी ने क्यों दिया भीम को तीन बाल"


एक बार पांडवों के पास नारद मुनि आए और उन्होंने युधिष्ठर से कहा की स्वर्ग में आपके पिता पांडु दुखी हैं। कारण पूछने पर उन्होंने कहा की पांडु अपने जीते जी राजसूय यज्ञ करना चाहते थे जो न कर सके ऐसे में आपको ऐसा कर उनकी आत्मा को शांति पहुंचना चाहिए।
तब पांडवो ने राजसूय यज्ञ आयोजित किया,  आयोजन को भव्य बनाने के लिए युधिष्ठर ने यज्ञ में भगवान शिव के परम भक्त ऋषि पुरुष मृगा को आमंत्रित करने का फैसला किया। ऋषि पुरुष मृगा जन्म से ही अपने नाम के जैसे थे। उनका आधा शरीर पुरुष का था और पैर मृग के समान थे। उन्हें ढूंढने और बुलाने का जिम्मा भीम को सौंपा गया। जब भीम, पुरुषमृगा की खोज में निकलने लगे तो श्री कृष्ण ने भीम को चेताया की यदि तुम पुरुषमृगा की गति का मुकाबला नहीं कर पाए तो वो तुम्हें मार देगा।
इस बात से भयभीत भीम, पुरुषमृगा की खोज में हिमालय की ओर चल दिए। जंगल से गुजरते वक़्त उन्हें हनुमान जी मिले। हनुमान जी ने भीम से उसके चिंतित होने का कारण पूछा। भीम ने हनुमान को पूरी कहानी बताई। हनुमान ने कहा यह सच है कि पुरुषमृगा की गति बहुत तेज है और उसका कोई मुकाबला नहीं कर सकता। उसकी गति मंद करने का एक ही उपाय है। चूँकि वो शिवजी का परम भक्त है इसलिए यदि हम उसके रास्ते में शिवलिंग बना दे तो वो उनकी पूजा करने अवश्य रुकेगा।
हनुमान ने ऐसा कहकर भीम को अपने  तीन  केश दिए और कहा की जब भी लगे कि पुरुषमृगा तुम्हें पकड़ने वाले है तो तुम एक बाल वहां गिरा देना। यह एक बाल 1000 शिवलिंगों में परिवर्तित हो जाएगा। पुरुषमृगा अपने स्वाभाव अनुसार हर शिवलिंग की पूजा करेंगे और तुम आगे निकल जाना।
उसके बाद भीम आज्ञा लेकर आगे बढ़े. कुछ दूर जाकर ही भीम को पुरुष मृगा मिल गए जो की भगवान महादेव की स्तुति कर रहे थे। भीम ने उन्हें प्रणाम किया और अपने आने का कारण बताया,  इस पर ऋषि ने सशर्त जाने के लिए हां कर दी।
शर्त ये थी की भीम को उनसे पहले हस्तिनापुर पहुंचाना था और अगर वो ऐसा न कर सके तो ऋषि पुरुष मृगा भीम को खा जाएंगे। भीम ने भाई की इच्छा को ध्यान में रखते हुए हां कर दी और हस्तिनापुर की तरफ पुरे बल से दौड़ पड़े। काफी दौड़ने के बाद भीम ने भागते भागते ही पलट कर देखा की पुरुषमृगा पीछे आ रहे है या नहीं, तो चौंक गए की पुरुषमृगा उसे बस पकड़ने वाले ही हैं। तभी भीम को हनुमान के बाल याद आए और उनमे से एक को गिरा दिया, गिरा हुआ बाल हज़ार शिवलिंगो में बदल गया।
शिव के परमभक्त होने के नाते पुरुषुमृगा हर शिवलिंग को प्रणाम करने लगे और भीम भागता रहा। ऐसा भीम ने तीन बार किया और जब वो हस्तिनापुर के द्वार में घुसने ही वाला था तो पुरुषमृगा ने भीम को पकड़ लिया,  हालांकि भीम ने छलांग लगाई थी पर उसके पैर दरवाजे के बाहर ही रह गए।
इस पर पुरुषमृगा ने भीम को खाना चाहा,  इसी दौरान कृष्णा और युधिष्ठर द्वार पर पहुंच गए। दोनों को देख कर भीम ने भी बहस शुरू कर दी, तब युधिष्ठर से पुरुषमृगा ने न्याय करने को कहा। तब युधिष्ठर ने कहा की भीम के पांव द्वार के बाहर रह गए थे। इसलिए आप सिर्फ भीम के पैर ही खाने के हक़दार है, युधिष्ठर के न्याय से पुरुषमृगा प्रसन्न हुए और भीम को बक्श दिया। उन्होंने राजसूय यज्ञ में भाग लिया और सबको आशीर्वाद भी दिया।

*ક્ષત્રિય રાજપૂતો વિશે કેટલાક વિદ્વાનોના વચનો અને અભિપ્રાયો*



ભારત વર્ષના પ્રસિદ્ધ વિદ્વાન ઇતિહાસકાર ગૌરીશંકર ઓઝા,ચિંતામણી,વેદવ્યાસ,રાજબલી પાંડેય,દશરથ શર્મા જેવા બીજા કેટલાય વિદ્વાનોએ રાજપૂતોને આર્ય ક્ષત્રિયોની સંતાન બતાવ્યા છે.તે ઉપરાંત વિદેશી વિદ્વાનોએ પણ તે મતનો સ્વીકાર કર્યો છે.આ વિષય પર ઇંગ્લેંડના મહાન શિક્ષાવિધ જ્હોન નેસ્ફિલ્ડ(John Nesfield-1836 to 1919)એ બ્રિટિશ ઇંડિયામાં અધિક સમય સુધી કાર્ય કર્યુ અને સર ડેન્જિલ ચાર્લ્સ જલ્ફ ઇબટસન(Sir Dengzil Charles Jelf Ibbetson)જેઓએ બ્રિટિશ ઇંડિયામાં ચીફ કમીશ્નર,લેફ્ટિનેન્ટ ગવર્નર જેવા ઉચ્ચ પદો પર કાર્ય કર્યુ હતુ.આ બંને મહાનુભાવોએ સ્વિકાર્યુ છે કે રાજપૂત લોકો આર્ય છે.તેઓ તે ક્ષત્રિયોની જાત છે જેઓએ વૈદિક કાળમાં ભારત પર શાસન કર્યુ હતુ.

ફ્રાન્સી વિદ્વાન યાત્રી ફ્રેન્કોઇસ બર્નિયર(Francois Bernier)એ "ટ્રાવેલ્સ ઇન ધ મુઘલ એમ્પાયર(Travels in the mughal empire)1665" માં એમના વિચાર પ્રકટ કરતા લખ્યુ છે કે 'રાજપૂત લોકો જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં જતા હતા ત્યારે અંદરો અંદર એવી રીતે ગળે મળતા હતા જેમ કે તેઓએ મરવાનો પૂર્ણ નિશ્ચય કરી લીધો હોય.આવી વિરતાના ઉદાહરણ સંસારની બીજી જાતીઓ માં ક્યા જોવા મળે છે!! કયા દેશમાં આ પ્રકારની સભ્યતા,સંસ્કૃતિ અને સાહસ છે અને કોણે એમના પૂર્વજોના સિદ્ધાંતોને આટલી શતાબ્દીઓ સુધી અનેક સંકટો સહન કરતા પણ કાયમ ટકાવી રાખ્યો છે!'

કર્નલ વાલ્ટર લેસ્લે(Sir colonel Walter Lesile)ભુતપૂર્વ એજન્ટ ગવર્નર જનરલ રાજપૂતાનાએ એમના સંસ્મરણમાં લખ્યુ છે કે 'રાજપૂતોને એમના પ્રાચીન શૌર્ય પર ગર્વ કરવો ઉચિત છે કેમકે આપણો ધર્મ,સ્વાધીનતા તથા કૂળ મર્યાદાની રક્ષા માટે રાજપૂતોએ જે વીરતા ના કાર્ય કર્યા છે,જે પ્રકારેની વીરતા અને ગૌરવનો પરિચય આપ્યો છે.એવુ વિશ્વના કોઇપણ દેશના ઇતિહાસમાં જોવા નથી મળતુ.

રાજપૂત ચરિત્રમાં ચિતરાયેલા લે.કર્નલ જેમ્સ ટોડ(Lt Conlonel James Tod)એમના પ્રસિદ્ધ ઇતિહાસ ગ્રંથ 'એનલ્સ એન્ડ એંટીક્વીટીજ ઓફ રાજસ્થાન(Annals and Antiquities of Rajsthan)માં લખે છે કે વિલક્ષણ ચરિત્ર વાળા  રાજપૂતોને છોડીને આ પૃથ્વી પર એવી કોઇ જાતિ નથી મળતી જે મહાન નિરાશા ની  આટલી શતાબ્દીઓ સુધી તેમની હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાની રક્ષા કરી શકતી હતી.માનવ જાતિના ઇતિહાસમાં રાજપૂત જાતિ જ એક એવી જાતિ છે જે બર્બરતાના આઘાતનો ઉત્સાહથી સામનો કરી શકતી હતી અને પ્રહારોથી પડી-ભાગીને વધુ ઉત્સાહ સાથે ઉપર ઉઠી સકતી હતી અને આપત્તિઓનો પ્રસન્નતા પૂર્વક સ્વાગત કરતી હતી.
પોતાના ઉપર્યુક્ત પુસ્તકની ભૂમિકામાં શ્રી કર્નલ જેમ્સ ટોડ લખે છે કે દેશ ભક્તિ,સ્વામી ભક્તિ,પ્રતિષ્ઠા,આતિથ્ય સત્કાર અને સરળતા આ બધા સર્વ ગુણો રાજપૂતોમાં જોવા મળે છે.(High courage,patriotism,loyalty,honour,hospitality and simplicity are qualities which must once be connected to them)
રાજપૂતોના પરાક્રમના વિષયમાં કર્નલ જેમ્સ ટોડ પોતાના ઉદૄગાર વ્યક્ત કરતા લખે છે કે'રાજપૂત જાતિ એક એવુ લોખંડ છે કે જેને બીજા લોખંડ દ્વારા કાપી ના શકાય.સંપૂર્ણ વિશ્વમાં આ જાતિ બરાબર બીજા બહાદુર નથી થયા.રાજપૂત વિરતામાં પોતાના ઉદાહરણ સ્વયં પોતે છે.તેઓ સચ્ચાઇ માં સૂર્યની જેમ પ્રકાશવાન છે તો ચંન્દ્રમાં ની જેમ શિતળતા પ્રદાન કરવા વાળા પણ છે.'
કર્નલ ટોડે લખ્યુ છે કે રાજસ્થાનમાં એવુ નાનામાં નાનુ રાજ્ય નથી જ્યાં થર્મોપોલી જેવુ યુદ્ધ ના થયુ હોય."There is not a petty state in rajasthan that has not  had it's thermopylae"-Annals and Antiquities of rajasthan(એનલ્સ એન્ડ એન્ટીક્વીટીજ ઓફ રાજસ્થાન ભાગ-૧)

 ઇંગ્લેંડના પ્રસિદ્ધ ઇતિહાસકાર Mr.james talboys wheeler( જેમ્સ ટેલબોય વ્હીલર)એ History of india(હિસ્ટ્રી ઓફ ઇંડિયા)માં  લખ્યુ છે કે રાજપૂત જાતિ ભારતમાં સૌથી કુળવાન અને સ્વભિમાની છે.સંસારમાં કદાચ જ કોઇ એવી જાતિ હશે જેમની ઉત્પતિ આટલી જુની અને શુદ્ધ હોય.તેઓ ક્ષત્રિયજાતિ ના ઉચ્ચ વંશજો અને જાગીરદાર છે.તે વીરલોકો ગરીબ અને અનાથો ના રક્ષક હોય છે.અપમાનને ક્યારેય સહન નથી કરતા અને તેઓ માતા-બહેનો અને અન્ય સ્ત્રીઓની પૂર્ણ રક્ષા કરવા વાળા હોય છે.(The Rajput race is the noblest and proudest in india with the exception of the jews,there is perhapes no people of higher antiquity of purer descent.they form a military aristocracy of a feudal typs.they are brave and chivalrous,keenly sensitive to an affront,and especially jealous of their women)

 મુઘલ શાસક અકબરનાં નવરત્નોમાંથી એક અબ્દુલ ફજલે એમની પુસ્તક "અકબરનામા" માં લખ્યુ છે કે 'વિપત્તિ સમયમાં રાજપૂતોનુ અસલી ચરિત્ર જાજ્વલ્યમાન થાય છે.એવા સમયમાં રાજપૂત સૈનિક રણક્ષેત્રથી ભાગવાનુ જાણતા જ નથી પરંતુ જ્યારે લડાઇ નુ સ્વરૂપ સંદેહ જનક હોય તો તેઓ પોતાના ઘોડાઓથી ઉતરીને લડવા લાગી જાય છે અને વિરતા પૂર્વક લડતા-લડતા પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા હોય છે.

પુરાતત્વવિદ તથા ઇતિહાસકાર જગદીશસિંહ ગહલોત એ "રાજસ્થાનના રાજવંશ" નામક ગ્રંથમાં લખ્યુ છે કે રાજપૂતોનો ઇતિહાસ; શૌર્ય,સાહસ,દેશભક્તિ અને અવિશ્વશનીય ત્યાગથી અભિભૂત છે.સ્વતંત્રતા અને રાષ્ટ્રીયતા ની ભાવના રાજપૂતોમાં અંતિમ સમય સુધી રહી છે.રાજપૂતોના રાજ્ય તથા શાસન વ્યવસ્થા નું વિવરણ પ્રસ્તુત કરતા પંજાબ વિશ્વવિદ્યાલય ચંડીગઢના 1976-1977 ઇસ્વીસનની પ્રથમ વર્ષની પુસ્તક 'પ્રાચીન ભારતનો ઇતિહાસ'ના અંતર્ગત રાજપૂત શાસનકાળમાં પ્રજા વધુ સુખી હતી,મોટા મોટા નગરો હતા જે  વ્યાપારના કેન્દ્રો હતાં,રાજપૂતોના વ્યવહારો સારા હતા,કર ઓછો હતો અને ભૂમિકર પણ હલ્કો હતો,દેશમાં શાંતિ હતી અને પ્રજાની રક્ષા કરવામાં આવતી હતી.રાજપૂત પ્રજાની સેવા અને રક્ષા કરવાનુ પોતાનુ પહેલુ કર્તવ્ય સમજતા હતા.
રાજપૂત વિરાંગનાઓ માટે આ ગ્રંથમાં આ પ્રકારે લખ્યુ છે:-'રાજપૂતાણીઓ પણ વિરતા માં પુરૂષોથી પાછળ નથી હોતી.તેઓ પવિત્ર આચરણ વાળી અને પવિત્રતા હતી.વિપત્તિનાં સમયમાં તેણીણીઓ સાહસ અને વિરતાનો પરિચય આપતી હતી.જેનુ ઉદાહરણ સંસારના કોઇપણ અન્ય ઇતિહાસમાં શોધવા છતા પણ નહી મળે.'રાજપૂત સુંદરીઓએ પણ પોતાના પ્રત્યે આકર્ષિત પતિને કર્તવ્ય-વિમુખતા થી બચાવવા માટે ત્યાગ,તપ અને બલિદાનનો પરિચય સમય-સમય પર કેટલીયવાર હાડી રાણી સહલકુંવર જેવી દેવીઓએ આપ્યો છે.જેવી રીતે સલુમ્બર રાવલ રતનસિંહ ચુંડાવતના યુદ્ધક્ષેત્રમાં જતા પહેલા પોતાની પત્નિ પ્રત્યે આકર્ષિત થઇને રાણી જોડે સેનાની(ચિન્હ)માંગ્યુ તો રાણી સહલકુંવરે એ માથુ કાપીને આપતા કહ્યુ કે શ્રી ચુંડાવતજી ને કહેજો કે માતૃભૂમીની રક્ષા કરજો.આવા જ પ્રકારના વિચાર કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં ડૉ.કે.સી.યાદવ અને પ્રો.ડી.બી.મલિક દ્વારા લિખિત "ભારતનો ઇતિહાસ"ચોથા સંસ્કરણ પૃષ્ઠ ક્રમાંક 138 માં લખ્યુ છે કે રાજપૂત લોકો વીર,ઇમાનદાર અને સત્યવાદી હોય છે.કોઇનાથી વિશ્વાસઘાત કરવો એ પાપ સમજતા હોય છે.તેઓ પોતાના વચન માટે પાક્કા હોય છે.કહેવાય છે કે'રઘુકુળ રીત સદા ચલી આયી,પ્રાણ જાયી પણ વચન્ન ન જાયી.'

ભારતીય સંસ્કૃતિના અદ્વિતિય સમર્થક અને સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતી મહારાજજી એ 1875 ઇ.સ.માં પુના પ્રવાસ દરમિયાન બારમાં પ્રવચનમાં પોતાના વિચાર પ્રકટ કરતા કહ્યુ હતુ કે અર્જુનની મત્સ્યવેદ વિદ્યામાં જબરી પ્રશંસા કરવામાં આવે છે.પરંતુ એ વાત ના સમજો કે આપણાં દેશમાં એવા યોગ્ય અને શૂરવીર પુરૂષ નથી રહ્યા.મેં ખુદ રાજપૂત લોકોને મત્સ્યવેદથી વધુ કઠીન પરિશ્રમ કરતા જોયા છે(પુના પ્રવાસ).

રાજપૂતોની વચનબદ્ધતા વિશે સ્વામી વિવેકાનંદજી કહે છે કે'Rajput would rather die than break his promise'-રાજપૂત મરી જશે પણ પોતાનુ વચન નહી તોડે.

"History of British India"(હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇંડિયા)ના લેખક જેમ્સમિલ(James Mill)લખે છે કે 'To bear arms is the principle duty of the khsatria's-શસ્ત્ર ધારણ કરવા ક્ષત્રિયોનુ મુખ્ય દાયિત્વ છે'

રાજપૂતોમાં અંદરો-અંદરની ફૂટ અને ઇર્ષાઓ વિશે કટાક્ષ કરતા કર્નલ જેમ્સ ટોડ(Colonel James Tod)પોતાની પુસ્તક'Annals and Antiquities of Rajsthan'( એનાલ્સ એન્ડ એન્ટીક્વીટીજ ઓફ રાજસ્થાન)માં લખે છે કે'Let us take the rajput character from the royal historians themselves from Akbar,Jahangir,Aurangzeb.The most briliant conquest of these monarch's were by Rajputs only.'( આવો આપણે રાજપૂત ચરિત્ર ને શાહી ખાનદાન ના ઇતિહાસકારો ની નજરે થી જોઇએ તો ખબર પડે છે કે અકબર,જહાંગીર અને ઔરંગઝેબ આ બાદશાહો ની સૌથી શાનદાર વિજય કેવળ રાજપૂતો દ્વારા જ સંભવ થઇ શકી હતી.)

*મૂળ :-स्वामी धर्मबन्धु लिखित 'राष्ट्रीय स्वाभिमान का प्रतीक:क्षत्रिय'માંથી.
સંપાદક:-ચેતનસિંહ ઝાલા(ગુંજાલા).

| भगवान शिव द्वारा मार्कण्डेय को मृत्यु से बचाने की कथा पर एक नज़र:



एक जगह मृकंदु नामक ऋषि रहते थे | उन ऋषि की कोई संतान नहीं थी | ऋषि ने संतान प्राप्ति के लिए भगवान शिव की घोर तपस्या करी | भगवान शिव उनकी तपस्या से प्रसन्न हुए और ऋषि को पूछा की वह उन्हें अधिक वर्ष तक जीवित रहने वाली संतान जो की बुद्धिहीन, क्रूर एवं अनुशाषित रहेगी उसका आशीष दें या फिर कम आयु तक जीवित रहने वाला बुद्धिमान, प्रेमपूर्ण एवं सुशोभित संतान का आशीर्वाद दें ? 
इसके बाद, ऋषि ने भगवान शिव से बुद्धिमान संतान के लिए आशीर्वाद माँगा | भगवान् शिव के आशीर्वाद से ऋषि को संतान प्राप्ति हुई जिसका नाम उन्होंने मार्कण्डेय रखा | जैसे जैसे मार्कण्डेय बड़े हुए वह अधिक बुद्धिमान होते गए | कुछ वर्ष बीत जाने के बाद ऋषि इस बात से उदास थे की उनका पुत्र 16 वर्ष से अधिक जीवित नहीं रहेगा | जब मार्कण्डेय  को इस बात का पता चला तो उन्होंने भगवान शिव की तपस्या शुरू करी, क्योंकि वह जानते थे की केवल भगवान शिव (जिन्हें मृत्युंजय नाम से भी जाना जाता है) ही उनकी समस्या का समाधान कर सकते हैं |

जब वह 16 वर्ष के हुए तो भगवान काल के दूत मार्कण्डेय के प्राण लेने आए, परन्तु मार्कण्डेय की तपस्या के कारण वह मार्कण्डेय के प्राण नहीं ले सके | इसके बाद, भगवान काल स्वयं ही मार्कण्डेय के प्राण लेने के लिए आए | जैसे ही मार्कण्डेय ने शिवलिंग को छुआ वैसे ही भगवान शिव वहां प्रकट हो गए | इसके बाद भगवान् शिव ने भगवान काल को मार दिया और मार्कण्डेय को अमरता का वरदान दिया |
इसके बाद सभी देवताओं ने भगवान शिव से भगवान काल को जीवन दान देने के लिए प्रार्थना करी | भगवान शिव ने सभी देवताओं की प्रार्थना स्वीकार करी और उन्हें जीवन दान दिया |

        🌹🌹🚩 हर हर महादेव🚩🌹🌹

👑. मुगल साम्राज्य और ब्राह्मण . 👑


मदारपुर, अयोध्या दोनों घटनाएं बताती है राजस्थान के राजपूतों की तरह उत्तर प्रदेश और बिहार में ब्राह्मणों ने विरोध किया था लेकिन भारतीय इतिहासकारों ने वोट-बैंक आधारित इतिहास लिखा जिसमें ब्राह्मण को गलत चित्रित किया गया है।
ब्राह्मणों द्वारा लड़े गए  युधो के कुछ अंश-

अयोध्या से 6 मील की दूरी पर सनेथू नाम के एक गाँव के पंडित देवीदीन पाण्डेय ने वहां के आसपास के गांवों सराय सिसिंडा राजेपुर आदि के सूर्यवंशीय क्षत्रियों को एकत्रित किया। देवीदीन पाण्डेय ने सूर्यवंशीय क्षत्रियों से कहा भाइयों आप लोग मुझे अपना राजपुरोहित मानते हैं...आप के पूर्वज श्री राम थे औखर हमारे पूर्वज महर्षि भरद्वाज जी। आज मर्यादा पुरुषोत्तम श्री राम की जन्मभूमि को मुसलमान आक्रान्ता कब्रों से पाट रहे हैं और खोद रहे हैं इस परिस्थिति में हमारा मूकदर्शक बन कर जीवित रहने की बजाय जन्मभूमि की रक्षार्थ युद्ध करते करते वीरगति पाना ज्यादा उत्तम होगा।

देवीदीन पाण्डेय की आज्ञा से दो दिन के भीतर 90 हजार क्षत्रिय इकट्ठा हो गए। दूर दूर के गांवों से लोग समूहों में इकट्ठा हो कर देवीदीन पाण्डेय के नेतृत्व में जन्मभूमि पर जबरदस्त धावा बोल दिया। शाही सेना से लगातार 5 दिनों तक युद्ध हुआ। छठे दिन मीरबाँकी का सामना देवीदीन पाण्डेय से हुआ उसी समय धोखे से उसके अंगरक्षक ने एक लखौरी ईंट से पाण्डेय जी की खोपड़ी पर वार कर दिया। देवीदीन पाण्डेय का सर बुरी तरह फट गया मगर उस वीर ने अपने पगड़ी से खोपड़ी को बाँधा और तलवार से उस कायर अंगरक्षक का सर काट दिया। इसी बीच मीरबाँकी ने छिपकर गोली चलायी जो पहले ही से घायल देवीदीन पाण्डेय जी को लगी और वो जन्मभूमि की रक्षा में वीर गति को प्राप्त हुए।

जन्मभूमि फिर से 90 हजार हिन्दुओं के रक्त से लाल हो गयी। देवीदीन पाण्डेय के वंशज सनेथू ग्राम के ईश्वरी पाण्डेय का घर पुरवा नामक जगह पर अब भी मौजूद हैं। पाण्डेय जी की मृत्यु के 15 दिन बाद हंसवर के महाराज रणविजय सिंह ने सिर्फ 25 हजार सैनिकों के साथ मीरबाँकी की विशाल और शस्त्रों से सुसज्जित सेना से रामलला को मुक्त कराने के लिए आक्रमण किया। 10 दिन तक युद्ध चला और महाराज जन्मभूमि के रक्षार्थ वीरगति को प्राप्त हो गए। जन्मभूमि में 25 हजार हिन्दुओं का रक्त फिर बहा।

रानी जयराज कुमारी हंसवर के स्वर्गीय महाराज रणविजय सिंह की पत्नी थीं। जन्मभूमि की रक्षा में महाराज के वीरगति प्राप्त करने के बाद महारानी ने उनके कार्य को आगे बढ़ाने का बीड़ा उठाया और तीन हजार नारियों की सेना लेकर उन्होंने जन्मभूमि पर हमला बोल दिया और हुंमायूं के समय तक उन्होंने छापामार युद्ध जारी रखा।

भारत के मध्यकालीन ऐतिहासिक अभिलेखों के मुताबिक 1528 में बाबर का सिपहसालार 'मीर बाक़ी' जब अपनी फौज को लेकर पूरब की ओर बढ़ रहा था तब कानपुर के पास 'मदारपुर' में ब्राह्मण जमींदारों की एक बहादुर फौज के साथ मुगलों का भयानक युद्ध हुआ। ब्राह्मण योद्धा बहादुरी से लड़े लेकिन मुगलों की आग उगलती तोपों और बंदूकों (Matchlocks) के सामने इन देसी जांबाजों की तलवारें, भाले, बरछे और तीर-कमान काम नहीं आए। इन नए विदेशी हथियारों के सामने बहादुरी को हार जाना पड़ा। 'कान्यकुब्ज बंशावली' के मुताबिक इस युद्ध में पानीपत के तीसरे युद्ध से भी ज्यादा रक्तपात हुआ था और सभी ब्राह्मण योद्धा वीरगति को प्राप्त हो गए।

मदारादिपुराख्यस्य भुइंहारा द्विजास्तु ये।
तेभ्यश्च यवनेण्दै्रश्च महद्युद्धमभूत्पुरा॥ 2॥
तेभ्यश्चब्राह्मणा: सर्वे परास्ता अभवंस्तत:॥

मदारपुर के युद्ध के बाद गर्भू तिवारी के अलावा कोई ब्राह्मण नहीं बचा। और इन्ही गर्भू तिवारी से 'कश्यप गोत्रिय भूमिहार ब्राह्मणों' का वंश आगे बढ़ा। ये कथन युद्ध की भयावहता को दर्शाने के लिए तथ्यों का सरलीकरण लगता है। मदारपुर का युद्ध सन् 1528 में हुआ लेकिन उससे काफी पहले गहडवाल राजाओं के शासन काल में ही कश्यप गोत्रिय भूमिहार ब्राह्मण काशी क्षेत्र में आ चुके थे और 'इब्राहिम लोधी' के शासन काल से पहले ही गाजीपुर, बलिया, मऊ और आजमगढ़ में उक्त कुल के कई गांव अस्तित्व में आ चुके थे।
                    
ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના થશે.

અમરેલી,ધારી,ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ દિવસ હતો.

સોરઠની પ્રજા એના ખમીરવંતા તારલાનો ઇતિહાસ જાણે જ છે.અમરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના કાળા વાળાનો એકનો એક દીકરો રામ વાળો સરકાર ને શાહુકારોના જુલમ સામે બહારવટે ચડીને સોરઠની ધરણીને ઘમરોળી રહ્યો હતો ત્યારે તેણે ખીજડીયા ગામ ભાંગ્યુ ને એક પ્રજાને ફોલી ખાનાર વાણિયાનો પટારો એક પાટું મારતાં વેંત ભાંગી નાખ્યો અને લાકડાંના પટારામાં રહેલ ખીલી તેના ડાબા પગમાં ખૂંપી જાય છે,એ ખીલી લાગવાથી રામવાળાનો પગ પાકે છે.ખીજડીયા ભાંગી તેઓ ગુજરીઆમાં કાળુ ખુમાણ નામના કાઠીને ત્યાં રહે છે.અને એના પગમાં ભયંકર પીડા ઉપડવી શરુ થાય છે,અધુરામાં પુરુ નાગ અને મેરુ રબારી સિવાય તેના બધાં સાગરીતો તેનો સાથ છોડી ચાલ્યાં જાય છે.

ત્યાંથી રામવાળાને ખંભા પર ઉપાડી નાગ અને મેરુ રબારી જુનાગઢ નજીક બીલખાંમાં કાઠી દરબારને ત્યાં આવે છે.અને ત્યાં રામવાળાના પગની પીડા બધા સીમાડા ઓળંગી જાય છે,રીતસરનો લવલવાટ ઉપડે છે,પગમાં હુતાશણી ભડકા કરે છે.રામવાળાને અંત નજીક જણાતા તે ગિરનાર જઇ રહેવાની ઇચ્છા વ્યક્ત કરે છે.અને પછી તેને બળદગાડામાં ગુપ્ત રીતે ગિરનાર પહોંચાડાય છે.

ગિરનારની ગોદમાં "બોરીયા ગાળા" નામની ભયાનક એકાંતી ગુફામાં રામવાળાને રાખવામાં આવે છે.નાગ અને મેરુ તેની સાથે છે.

એમાં એક દિવસ નાગને મેરુ પર શંકા જવાથી કે કોઇ કારણસર તે રામવાળાની પથારી પાસે જઇ ધીમેથી કહે છે કે મેરુનું કાસળ કાઢી નાખીએ,એ નાહકનો આપણને કમોતે મરવશે.રામવાળો પોતાને ખભે ઉપાડીને ફેરવનાર સાથી સાથે આવો વિશ્વાસઘાત કરવાની ચોખ્ખી ના પાડે છે.પણ..હાય રે કમનસીબી ! આ વાત ગુફાની બહાર લપાઇને મેરુ સાંભળી લે છે.એના અંગેઅંગમાં લાય વ્યાપી જાય છે.

બીજે દીવસે એટલે મહા સુદ ત્રીજના દીવસે મેરુ પોતાની ચાલ ખેલે છે.તે નાગને કહે છે કે હવે બોરીયા ગાળા તરફ માલધારીઓની અવર-જવર થવાથી બીજી જગ્યા ગોતવી પડશે.બંને નવા ઠેકાણાની શોધમાં જાય છે.પાછા ફરતાં બપોર થઇ ગયેલ હોઇ બંને એક નેળામાં ઝાડને છાંયે વિસામો લેવા રોકાય છે.નાગને ઊંધ ચડી જાય છે એ વખતે ઊંધવાનો ડોળ કરતો મેરુ હળવેથી નાગની ભરેલી જામગરીવાળી બંધૂક ઊપાડી નાગને વીંધી નાખે છે અને સીધો જૂનાગઢ આવી મહોબ્બતખાનની ફોજ(ગીસ્ત)ને કહે છે કે,રામવાળો બોરીયા ગાળામાં છે,સાથે કોઇ નથી,એની બંધૂકમાં એક ભડાકો થાય એટલી જામગરી છે.પચાસ સૈનિકો ત્વરીત તૈયાર થઇ ચાલી નીકળે છે.

રામવાળો લોટ મસળતો હતો એ વખતે ફોજ ગુફાના મુખ આગળ ઊભીને હાકોટા નાખે છે.રામવાળો મેરુની હરામખોરી સમજી જાય છે.ફોજને પડકાર ફેંકે છે કે - માનું ધાવણ ધાવ્યા હોય તો અંદર હાલ્યાં આવો.હું એક છું અને બંધૂકમાં જામગરી પણ એક છે ! પણ કોઇ ફોજી બચ્ચો ગુફામાં પગ દેવાની હિંમત કરી શકતો નથી.સૈનિક બાવળના વળાં(ઘાટી,સુકાયેલ ડાળો)નો ઢગલો ગુફા આગળ કરી ગુફા બંધ કરે છે.અને પછી આગ ચાંપે છે.આખી ગુફા સદંતર બંધ હોવાથી ધુમાડાથી ને આગના અજગર જેવા ફુંફાડાથી ભરાય છે.અંદર રહેલો "નરેશ્વર" અભિમન્યુ બફાવા લાગે છે.અંતે આ લવકારા સહન ના થતાં તલવારને ટેકે તે બહાર કૂદે છે અને  પોતાની બંધૂકની એકમાત્ર ગોળી સામે ઊભેલા સૈનિકની છાતીમાં ઠોકે છે,ત્યાં જ એકસામટી પચાસ બંધૂકો ગરજે છે અને શિયાળવાઓ ભેગા મળી એક લાચાર સિંહનો શિકાર કરે છે.

આમ,ગિરનારનો એ બોરીયો ગાળો સોરઠની ધરતીના નરવાહનનો ભોગ લે છે.હજી પણ એ બોરીયો ગાળો રામવાળાની કંઇ કંઇ યાદો સંઘરી એ નરબંકાના મંદિર સમાન બેઠો છે.

રામવાળાને બે બહેનો હતી - માકબાઇ અને લાખુબાઇ.બંનેને બાબરીયાવાડ પંથકના ગામોમાં પરણાવેલ.માકબાઇને કાતર ગામે અને લાખુબાઇને સોખડ ગામે.બાપ કાળાવાળાના અવસાન બાદ થોડે વરસે માં રાઠોડબાઇ દેવલોક થયાં બંને બહેનોને ત્યારે કારજ કરીને ઘરનો બધો સામાન બંને બહેનો વચ્ચે સાણસી ને તાવેથા સમેત સરખે ભાગે વહેંચી,પોતાની થોડી જમીન હતી તે (બાકીની જમીન ગાયકવાડ વતી વાવડી ગામના મુખી ડોસા પટેલે જપ્ત કરેલી,જેને પાછળથી રામવાળે ઠાર મારેલ)શેલ નદીને કાંઠે બુઢ્ઢેશ્વર મહાદેવની જગ્યામાં અર્પણ કરી,બધું ખાલી કરી રામવાળો બહારવટે ચડ્યો હતો.

લાખુબેન ત્યાર પછી ઘણા વરસ જીવ્યા.અને ગુજરાતનો સુપ્રસીધ્ધ "રામવાળાનો રાસડો" તે ગાતા ત્યારે ભલભલાંને રોવરાવતા.વિચાર તો કરો....જેના ભાઇના રાસડા આખા કાઠીયાવાડમાં ગવાતા હોય એ બેનના કેટલાં મોટા સૌભાગ્ય ! અને એ સાથે ભાઇની વિદાયની વસમી વેદના ! લાખુબેન કાઠીયાણીઓ સાથે એ રાસડો લઇ મેદાનમાં,ફળિયામાં ઘુમતા ત્યારે સાક્ષાત જોગમાયા રમવા ઊતરી હોય એવો આભાસ થતો.(કાગબાપુ,મેઘાણીભાઇ જેવા ઘણા લોકસાહિત્ય પૂજકોને એનો પરચો મળેલ છે.)

પોતાના ભાઇને ધીરો ઠપકો આપતી,એના શૌર્ય પર ઓવારી જતી,એના આત્માની શાંતિ માટે અપાર હેત ઠાલવતી.......એ જગદંબા ગાતી -









Jayraj Govaliya

Jay Kathiyawad

#યાદ_આવે_ઇ_શુરવીરો..!!



યાદ આવે ઇ શુરવીરો જે આ યુગમાં નથીં ભાળીયા,
કારણ ધરા માટે ધરબાઈ ગયા ઇ આ શુરવીર ના પાળિયા.

વાત હતીં ઇ વખતે વટની હવે વટવાળા નથીં ભાળીયા,
કારણ વટને ખાતર વેતરાઇ ગ્યાં ઇ આ શુરવીર ના પાળિયા.

પરોપકારી પુરા જીવ હતા ઇ જુગમા  હવે સ્વાર્થી બધે ભાળીયા,
કારણ એક તેતર ને કારણે મુળીમા ઉભા ઇઆ શુરવીરના પાળિયા.

વચન તણી કિંમત ઇ કરી જાણતાં હવે વિશ્વાસઘાતી ભાળીયા,
મર્યા પછી ચાંપરાજ ને સાંગાએ દિધા દાન ઇઆ શુરવીરના પાળિયા.

ગૌ બ્રાહ્મણ પ્રિતપાળ ઇ પુરા હવે ગૌ કત્લ થતીજોવાવાળા  ભાળીયા,
ગૌ કારણ વચ્છરાજ ને ભાથીજી થયા ઇઆ શુરવીરના પાળિયા.

દાતરી હતી રગે રગમા ઘણી હવે લોભીને  લાલચુ ભાળીયા,
દાતરી કારણ જગદેવજીએ માથું દિધુ ઈ આ શુરવીરના પાળિયા.

પ્રાણ સાટે ઇ પ્રેમકરતા ખરા હવે વસાનાના ભુખ્યા ભાળીયા,
પ્રેમ ખાતાર ખીમરો લોડણે લોહી દિધા ઇઆ શુરવીરના પાળિયા.

ખાનદાન અને ખંમીરવંતા હતા ઇ હવે એવા થાય એવા નથી ભાળીયા,
કહે વિરમદેવ ગામેગામ જોયા  આવા દાખલા ઇઆ શુરવીરના પાળિયા.

રચના: વિરમદેવસિંહ પઢીયાર

राजपूत चित्रशैली,


भारतीय चित्रकला की प्रमुख शैली है।राजस्थान में लोक चित्रकला की समृद्धशाली परम्परा रही है। मुगल काल के अंतिम दिनों में भारत के विभिन्न क्षेत्रों में अनेक राजपूत राज्यों की उत्पत्ति हो गई, जिनमें मेवाड़, बूंदी,मालवा आदि मुख्य हैं। इन राज्यों में विशिष्ट प्रकार की चित्रकला शैली का विकास हुआ। इन विभिन्न शैलियों में की विशेषताओं के कारण उन्हे राजपूत शैली का नाम प्रदान किया गया।

राजस्थानी चित्रशैली का पहला वैज्ञानिक विभाजन आनन्द कुमार स्वामी ने किया था। उन्होंने 1916 में ‘राजपूत पेन्टिंग’ नामक पुस्तक लिखी। उन्होंने राजपूत पेन्टिंग में पहाड़ी चित्रशैली को भी शामिल किया। परन्तु अब व्यवहार में राजपूत शैली के अन्तर्गत केवल राजस्थान की चित्रकला को ही स्वीकार करते हैं। वस्तुतः राजस्थानी चित्रकला से तात्पर्य उस चित्रकला से है, जो इस प्रान्त की धरोहर है और पूर्व मेंराजपूताना में प्रचलित थी।

विभिन्न शैलियों एवं उपशैलियों में परिपोषित राजस्थानी चित्रकला निश्चय ही भारतीय चित्रकला में महत्त्वपूर्ण स्थान रखती है। अन्य शैलियों से प्रभावित होने के उपरान्त भी राजस्थानी चित्रकला की मौलिक अस्मिता है।

*राजपूत शैली के प्रकार*



राजस्थानी चित्रकला

राजस्थानी पेंटिंग

भौगोलिक एवं सांस्कृतिक आधार पर राजस्थानी चित्रकला को चार शैलियों में विभक्त कर सकते हैं। एक शैली में एक से अधिक उपशैलियाँ हैं-

(1) मेवाड़ शैली - चावंड, उदयपुर, नाथद्वारा, देवगढ़ आदि।

(2) मारवाड़ शैली - जोधपुर, बीकानेर, किशनगढ़ आदि।

(3) हाड़ौती शैली - बूँदी, कोटा आदि।

(4) ढूँढाड़ शैली - आम्बेर, जयपुर, अलवर, उणियारा, शेखावटी आदि।
થાનગઢ ના ગામધણી શ્રી વાસુકી દાદાના મંદિર ની વાત....

થાનગઢ ના ગામધણી શ્રી વાસુકી દાદાના મંદિર ની વાત....




ઝાલાવાડ ના સવાસો ચોરસ માઈલ ના કંદોરા ને “પાંચાળ” કહેવામાં આવે છે અને પાંચાળનાં કેન્દ્ર તરીકે ‘થાન‘ રહ્યું છે. થાનએ પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળ નામ અને પ્રાચીન ઉલ્લેખો માત્ર “સ્કંદ પુરણ“ માં જોવા મળે છે. તેમાં થાન ને “સ્થાન” તરીકે ઓળખવામાં આવ્યું હતું. પરંતુ ધીમે ધીમે “સ્થાન” ને લોકભાષા અભ્ર શબ્દના કારણે ગામ નું નામ “થાન” તરીકે જાણીતું બન્યું. નાગપૂજામાં ઝાલાવાડમાં થાન, બાંડિયા બેલી, તલસાણીયા, અને ચરમાળીયા ના સ્થાનકો સુપ્રસિદ્ધ છે. જ્યાં સરોવર, સરિતા, અને ડુંગરો જોવા મળે છે ત્યાં જોગી, જતિઓ, અને સાધુ-સંતોના બેસણા નજરે ચડે છે. તેવીજ રીતે થાન ગામ ના મધ્ય માં તળાવ ના કિનારે (કાંઠે) પૂર્વાભિમુખ વાસુકી નાગ દેવતા નું મંદિર આવેલું છે. સમગ્ર મંદિર પર કુદરતી ઘુમ્મટ ની જેમ ‘રાયણ’ નું એક ઘટાદાર વ્રુક્ષ છવાયેલું છે. આ મંદિર માથે નાગ અંકિત ધજા ફડાકા દે છે.
ઝાલાઓના રાજમાં થાન લખતર તાબે હતું. લખતરના રાજવી ‘અભેરાજ્જી’ એક વખત લખતરથી વાંકાનેર જતા માર્ગમાં થાનની સીમમાં પડાવ નાખ્યો હતો. થાન પર તે સમયે મડિયાઓનું શાસન હતું. લોકોકિત પ્રમાણે રાજા અભેરાજ્જીને વાસુકી સ્વપ્નમાં આવ્યા હતા. ત્યાર બાદ ઝાલાઓ અને મડિયાઓ વચ્ચે યુધ્ધ થયું. તેમાં રાજા અભેરાજ્જીનો વિજય થયો અને પોતાના સ્વપ્નની પરિપૂર્તિ માટે ત્રણસો વર્ષ પહેલા તેમણે વાસુકીનું થાન ખાતે મંદિર બંધાવ્યું હતું. જે આજે પણ ગામમાં હયાત છે. રાજા અભેરાજ્જીએ મંદિર બંધાવતા વાસુકી મંદિરને રાજ ની પ્રતિષ્ઠા મળી. તે સમયે થાન લખતરના તાબે હતું પરંતુ થાનની ગાદી પર વાસુકી દેવની સ્થાપના થતાં સમગ્ર ચોવીસીમાં તેના નામથી વહીવટ ચાલતો થયો. ત્યારે પણ લખતરથી રાજવી થાન આવતા ત્યારે પ્રથમ થાન ખાતે વાસુકી મંદિરે દર્શન કર્યા પછી જ દરબાર ગઢમાં પ્રવેશતા તેવી પ્રણાલી હતી. ત્યારથી વાસુકી દાદા થાનના ગ્રામદેવતા તરીકે ઓળખાય છે.
મંદિરની પાછળ આવેલી વાવ ‘વાસુકી વાવ’ તરીકે જાણીતી છે. ઈશ્વરની ત્રિગુણાત્મક ચેતન શક્તિ સમી ત્રણ ફેણ વાળી નાગદેવતાની મૂર્તિ મંદિરની મુખ્ય પ્રતિમા છે. તળાવને કાંઠે પૂર્વ દિશામાં મંદિરના મહંતોની સમાધીઓ છે. ઉતર દિશાએ આદિ મહંત સુખદેવ ગીરીજીની સમાધી છે. જે આજે પણ પુજાય છે. ગામમાં કોઈ પણ શુભ પ્રસંગો વાસુકીદાદાને યાદ કર્યા પછી થાય છે. ગામમાં ક્યાય કથા, પારાયણ, રામકથા જેવા ધાર્મિક પ્રસંગોનો આરંભ તથા અંત મંદિરે થાય છે. થાનની પ્રજાના હૃદયમાં વાસુકી મંદિર પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા–આદર હોવાના કારણે એ ગ્રામદેવતા બન્યા છે. આ મંદિર માં ગરીબ અને અમીર એવા કશાય પ્રકાર ના ભેદભાવ વગર ગ્રામ દેવ વાસુકીદાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સાથે સાથે અહિયા ધર્મની વિભીન્નતા પણ જોવા નથી મળતી કારણ કે અહી હિન્દુ, મુસ્લિમ, જૈન, વગેરે ધર્મના લોકો દર્શન નો લાભ લે છે.